20-Jan-2011 || જય લક્ષ્મીનારાયણ || તાજેતરમાં સમાજનો જે વાચક વર્ગ છે એમને મહદ અંશે એવી ખાત્રી થઈ ગઈ છે, કે આપણી સમાજનું કહેવાતું મુખ પત્ર “પાટીદાર સંદેશ” એ ફક્ત જન્મ મરણના ફોટાંઓ અને જાહેર ખબરથી ભરેલું જોવા મળે છે. આ મેગેઝિનમાં એક બુદ્ધિ જીવ વર્ગ કે પછી જિજ્ઞાસુ વર્ગને લાભ થાય એવા કોઈ લેખો જોવા મળતા નથી. છેલા કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલુ છે. આ પત્રમાં આપણી સમાજમાં બનતા ઘણા એવા વિવાદાસ્પદ બનાવો કે ઘટનાઓ વિષયે સત્ય હકીકતો પ્રકાશિત કરવાની ઉણપ સ્પષ્ટ વાચક વર્ગને દેખાય છે. જુદા જુદા લોકો દ્વારા આ બાબત અંગે ઘણી વખત પાટીદાર સંદેશના મેનેજમેન્ટના સભ્યોનું ધ્યાન દોરાવવામાં આવેલ છે. છતાં તેઓએ પોતાની કાર્ય શૈલીમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી. ઘણી વખત તેમના લખાણો, ખાસ કરીને તંત્રી લેખ વગેરે, બનેલ ઘટનાઓ પુરતો અભ્યાસ કર્યા વગર મનસ્વી રીતે લખી નાખવામાં આવેલ છે. દાખલા તરીકે, તાજેતરમાં જે સતપંથ અને સનાતનનો વિવાદ ચાલી રહ્યો છે, તે અંગે જીણવટ ભર્યું અવલોકન […]
17-Jan-2011 From: Laxminarayan Sanatan Hitchintak [email protected] Date: 2011/1/17 Subject: દક્ષીણના સનાતાનીઓએ સતપંથ નો ગઢ હવે જીત્યો To: [email protected], Pradeep Nathani [email protected] Cc: Nitesh Chhabhaiya, Khanti Satpanthi [email protected] ખબર આવ્યા છે આનંદ ના. તે પણ દક્ષીણ ભારત માં થી. ટરા રા રા રા…….ટરા રા રા રા …….. સર્વે સનાતની ભાઈ-બહેનો. ગણા દિવસના સનાતાનીઓના પ્રયત્નો પછી એક સફળતા મળી છે સનાતાનીઓને તે પણ દક્ષીણ ભારતમા કે જ્યાં મુમના સત્પન્થીઓનો ગઢ છે. સનાતાનીઓએ બરાબરનું બાકોરું સત્પન્થીઓના ગઢમા પાડ્યું છે. વાત એમ છે કે; ૧. દર વરસની જેમ આ વરસે પણ આખા તામીલનાડ અને કેરાલાના જ્ઞાતિ બંધુઓની સામાન્ય સભા કુમ્ભકોણમમાં ઉતરાયણના દિવસે મળેલ હતી. ૨. આ સભામાં દક્ષીણ ભારતના એક એક સત્પનથી ત્યાં હાજર રહ્યા હતા બૈરી – છોકરાં સહીત. આગલા દિવસે એટલે તા.૧૪.૦૧.૨૦૧૧ના દિવસે કારોબારી સભામાં સનાતાનીઓ એ સત્પન્થીઓ ઉપર હાવી થઈને પુરવાર કર્યું હતું કે પાખંડી પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને લાયક ધર્મ નથી. ને કેન્દ્રીય સમાજના આદેશોને આપણે ચુસ્તપણે પાલન કરવું પડશે એવું નક્કી થયું હતું. […]
15-Jan-2011 || જય લક્ષ્મીનારાયણ || સમુહ લગ્ન સમિતિની તા. ૧૮.૧૦.૨૦૧૦ની, મથલ પાંજરા પોલમાં યોજાયેલ મિટિંગ વખની સાચી ઘટના…. ત્યાં પ્રમુખ સાહેબણી દરખાસ્ત હતી કે… આ વર્ષેથી સમુહ લગ્નમાં સતપંથીઓના લગ્ન નહિ કરાવા જોઈએ. છોકરો કે છોકરી સતપંથી હોય, તો તેવાં લગ્ન નહિ કરાવા. તેમની વાતને સર્વે હાજર રહેલ સભ્યોએ Co-operate કર્યું. વિરોધ કરવામાં બે વ્યક્તિ હતા.. ૧. રસલીયા ગામના શ્રી દેવજી રામજી ભાવાણી, હાલે સુરત (કેન્દ્રિય સમાજના ઉપપ્રમુખ), અને ૨. તેમનાજ ગામના શ્રી લાલજી શિવજી ભાવાણી (કેન્દ્રિય સમાજના ટ્રસ્ટી), તેવો પણ હાલે સુરત રહે છે. તેવોએ પોતાના મંતવ્યો આપ્યા કે આ બહું ઉતાવળ થાય છે, એક બાજુ આપણે નામો નોંધાઈ લીધા છે એટલે આપણે એમાંથી ચલિત ના થવું અને એક વરસ આપણે જેમ કરતા આવ્યા છીએ તેવી રીતે ચાલું રાખવું. ત્યારે સમુહ લગ્ન સમિતિના ૧ મેમ્બર અને મથલની પાંજરા પોલ ના પ્રમુખ, જંજય વાળા શ્રી કાંતિલાલ વીરજી ધોળુ, એમણે છોખા શબ્દોમાં ઉપરોક્ત બન્ને વ્યક્તિઓને જણાવી દીધું કે તમે સમાજના હોદેદારો […]
12-Jan-2011 જ્ઞાતિ જનો, આ મવાળ સામે જુવાળની યાદીમાં જયેશ છાભૈયા અને કેશુ પારસીયાનું નામ હાલમાં સૌથી મોખરે છે. તા. ૭/૧/૧-૨૦૧૧ ગઢસીસામાં એક મીટીંગમાં આ બંને જણાએ સર્વે ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આપણે સત્પન્થીઓથી અલગ રહેવું નથી. અન્ય લોકોને જે કરવું હોય તે કરે. આમ આ બંને જણાએ ખુલી રીતે સનાતની તથા સમાજના આદેશની વિરુદ્ધ આચરણ કરેલ છે. આ રીતે એમના વક્તવ્યના હિસાબે એ મવાળના લીસ્ટમાં મોખરે રહે છે જેની નોંધ સર્વે સનાતની વ્યક્તિઓએ લેવે રહી. ત્યારબાદ તા. ૯/૧/૨૦૧૧ ના સંસ્કાર ધામમાં એક મવાળ સામે જુવાળ ના ધોરણે એક મીટીંગમાં જયેશ છાભૈયા એ એવી મૌખિક બાહેંધરી આપી હતી કે એ ખરેખર સનાતની છે અને સવાલ કર્યો હતો કે મારા પર ( જયેશ છાભૈયા ) શંકા શા માટે કરો છો ? આ મીટીંગમાં નોંધવા જેવી વાત એ હતી કે કેસુ પારસીયા એક ગોનારની જેમ એમ પણ શબ્દ ન બોલી સર્વે ઉપસ્થિત જનોને પોતે મવાળ છે એવો સંદેશ આપ્યો હતો. અત્યાર સુધી […]
11-Jan-2011 From: Rameshbhai Vagadiya [email protected]: 2011/01/11Subject: ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા ના વડીલ મણીભાઈ પટેલ ‘મમ્મી’ નો પીરાણા સતપંથ બાબત મત તેમના મુખેથીTo: Editor Patidar Sandesh <[email protected]>, Editor Patidar Saurabh <[email protected]>, Editor Uma Darpan <[email protected]>, Real Patidar Groups <[email protected]> કચ્છ કડવા પાટીદાર સનાતની ભાઈ બહેનો જોગ, તા.૧.૦૮.૨૦૦૯ ના દિવસે હું અને હિંમતભાઈ પહેલી વખત મુંબઈથી કચ્છ જવા નીકળ્યા ત્યારે સનાતન ધર્મ બાબતે કેન્દ્રીય સમાજમાં જાગૃતિ લઇ આવવી છે એવો વિચાર મનમાં ભલે હતો પણ આપણા ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આટલી જલ્દી સનાતની જ્ઞાતિમાં જાગૃતિ લઇ આવશે એવો વિચાર નોતો કર્યો. પણ હા, વિશ્વાસ જરૂર હતો કે જ્ઞાતિમાં સનાતન ધર્મ બાબતે જાગૃતિ જરૂર આવશે. આ ધર્મ જાગૃતિ – કેન્દ્રિય સમાજ જાગૃતિ અભિયાનમાં ના ધારેલ વ્યક્તિઓનો સાથ મળ્યો. તે સર્વેનો ઉલ્લેખ અત્યારે કરવા નથી માગતો. પણ એમાંની એક વ્યક્તિ અમોને એવી મળી કે જેને આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માટે ભારોભાર માન છે. આ વ્યક્તિને આપણી જ્ઞાતિના, આપણી સમાજના ઈતિહાસનું એટલું બધું જ્ઞાન છે કે આપણું […]