22-Jan-2017 The video is bit lengthy i.e., about 53 mins long. But it’s interesting to learn how religious conversions are done and Muslim preachers disguise themselves as Hindu Sadhus. આ “મોક્ષ વાયા ઇસ્લામ – સતપંથ ફિર બેનકાબ” હિંદી ભાષામાં ખાસ તૈયાર કર્યો છે કારણ કે ગુજરાતી સિવાયના અન્ય લોકો સુધી પણ બહુજ સચોટ રીતે, જરૂરી પુરાવાઓ સાથે, પરંતુ બને એટલા સંક્ષિપ્તમાં, સતપંથના પ્રચારકો દ્વારા આજ દિવસ સુધી ચલાવવામાં આવી રહેલા જુઠ્ઠાણાંઓને, ઉઘાડા પાડી સતપંથનો સાચો ઇસ્લામી ચેહરો બતાવી શકાય. સતપંથી (કહેવાતા હિંદુ) સાધુઓ દ્વારા જે પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે સતપંથ મોક્ષ મેળવવાનો સાચો રસ્તો છે, એ પ્રચારના માધ્યમથી હિંદુઓને અંધારામાં રાખીને, તેમની શ્રદ્ધાથી ખિલવાડ કરીને, તેમને કેવી રીતે ઇસ્લામના રસ્તા પર ચાલતા કરે દેવામાં આવે છે, તેની સંપૂર્ણ વિગત આ વિડીયો ઉજાગર કરે છે. ઈમામશાહ અને એમના દાદા પીર સદૃદ્દીન દ્વારા હિંદુ શાસ્ત્રોના આધારે તેમજ હિંદુ દેવી દેવતાઓની આડમાં, કેવી રીતે એક ઇસ્લામના દેવને, એટલે કે “નિષ્કલંકી નારાયણ”ને […]
real patidar
06-Dec-2016 કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની પહલી મહિલા IRS અધિકારીને ખરા સમાજ સેવક તરફથી નમ્ર અપીલ છે કે તેમની વાણી અને વર્તનથી સમાજમાં શાંતિ જળવાય અને સમાજના સ્થાપક વડીલો અને આગેવાનો નું મન સન્માન જળવાય અને સનાતની સમાજના સભ્યોની ધાર્મિક લાગણી ન દુભાય તેવા નિવેદનો ન કરે. પોતાની શક્તિથી એવા લોકોની મદદ કરે કી જે લોકો સતપંથ ધર્મને હિંદુ ધર્મ છે તેવું માનવાની ભૂલ કરી રહ્યા છે. તમે તમારા નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે બે ધર્મ અલગ છે (જુવો અહીં જોડેલ તમારા ભાષણનો વિડિઓ), જેથી ચોખું સમજાય છે કે તમે સતપંથ અને સનાતન ધર્મ જુદા છે તે જાણો છો અને સમજો છો. વધારામાં તમે સમજો છો કે સતપંથ ધર્મ જયારે સનાતન ધર્મથી જુદો છે ત્યારે એ મુસલમાન ધર્મ છે, હિંદુ ધર્મ નથી. તમે ભલે સતપંથ ધર્મને બિન-હિંદુ ધર્મ સમજીને પાળો છો, તે માટે તમને અમારી શુભેચ્છા. પણ જે લોકો આ ભેદ નથી સમજ્યા અને સતપંથ ધર્મને સનાતન ધર્મ સમજે છે, તેને તમે […]
Date: 05-Oct-2016 ફૈઝપુરના સતપંથ મંદિરના ગાદી પતિ, શ્રી જનાર્ધન મહારાજના ગુરુ… શ્રી જગન્નાથ મહારાજ દ્વારા પ્રકાશિત… અને દાદા ગુરુ પુરષોત્તમ મહારાજ દ્વારા લેખિત… ઈમામશાહ બાવાના જીવનવૃત્તાંત પર લખેલ પુસ્તકમાં જણાવેલ છે કે… ઈમામશાહે તેમની ઓળખ આપતા કબૂલ કર્યું છે કે… પોતે મુલતાન ગામમાં (હાલ પાકિસ્તાન) માં, સૈય્યદ કુલમાં કબીરુદ્દીન બાબાના ત્યાં જન્મ લીધો. અને પોતે મુસલમાન હોવાનું પણ કબૂલ કર્યું છે. એ પુસ્તકના જરૂરી પાનાંઓની નકલને અહીં જોડેલ છે.
તા. 20-Jul-2016 પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે. મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ પ્રમાણે નથી) છે, તેવું પ્રમાણિત કરતો પત્ર આપ્યો. (આ પત્ર મરાઠી ભાષામાં છે.) હાલની સતપંથ દ્વારા કરવામાં આવેલ હાલચાલ જેમાં સતપંથના પ્રચારક શ્રી જનાર્ધન મહારાજને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવેલ હકીકત, તેમજ સતપંથને કુંભમેળામાં આપવામાં આવેલ સ્થાનની હકીકતને ધ્યાનમાં રાખીને હાલના પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ વિષયને ફરીથી હાથમાં લીધો અને ફરીથી […]
આજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે. માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક. પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે કે…. જો ઈમામશાહે હિંદુ ધર્મનો પ્રચાર કર્યોજ હોય, તો પહેલાં તો પોતે એ ધર્મ પાળે અને કમ સે કમ તેના પોતાના વંશજોને પણ એજ ધર્મ પળાવે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે ઈમામશાહના વંશજો તો હમેશા મુસલમાન ધર્મજ પાળતા આવ્યા છે. આનો અર્થ એમ થાય કે ઈમામશાહે મુસલમાન […]