આજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે. માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક. પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે કે…. જો ઈમામશાહે હિંદુ ધર્મનો પ્રચાર કર્યોજ હોય, તો પહેલાં તો પોતે એ ધર્મ પાળે અને કમ સે કમ તેના પોતાના વંશજોને પણ એજ ધર્મ પળાવે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે ઈમામશાહના વંશજો તો હમેશા મુસલમાન ધર્મજ પાળતા આવ્યા છે. આનો અર્થ એમ થાય કે ઈમામશાહે મુસલમાન […]
ginan
તા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની સ્થાપના 👉 આજ રોજ તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ. 👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ. 👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ. 👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા SHRI ABKKP SANATAN EDUCOS ની રચના કરવામાં આવી 👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે. 👉 SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે. 👉 આગામી 7-8 Nov.-16 ના રોજ […]
To View and Download / જોવા અને ડાઉનલોડ કરવા માટે: https://archive.org/details/Series60 https://app.box.com/s/ggzjhkc07jrajgwe4r10kl9epac2fhwv 11-Apr-2015 જય ઉમિયા મા હાલમાં સતપંથ સમાજની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ નજર કરીઓ તો જણાશે કે નિષ્કલંકી નારાયણની કથાઓ પર તેઓ જોર આપી રહ્યા છે. અને સાથે સાથે કહેવાતા માં ઉમિયાના મંદિરો પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં સહેજ છે કે આ નિષ્કલંકી નારાયણ કોણ છે અને તેમની સાથે આ કહેવાતા ઉમિયામાં નું નામ કેવી રીતે જોડવામાં આવે છે? તેની જિજ્ઞાસા સર્વેને થાય અને થવી જોઈએ. અમોને પણ થઇ અને સત્ય જાણવા માટે કરેલ પ્રયાસોના કેવા આશ્ચર્ય અને ચિંતા જનક પરિણામ મળ્યા, તે જનતા સામે મુકવામાં આવે છે. અમોએ શરુઓ કરી હિંદુ ધર્મના શાસ્ત્રો થી. અને તેની સાથે અમો મળ્યા હિંદુ ધર્મના સાધુ સંતો ને. અંતે અમોને જાણવા મળ્યું કે હિંદુ ધર્મના શાસ્ત્રોમાં નિષ્કલંકી નારાયણ નામનો કોઈ અવતાર જ નથી. ત્યારે અમોએ સતપંથ ધર્મના શાસ્ત્રોમાં જોવાનું શરુ કર્યું. ત્યારે અમારા હાથમાં સતપંથ ધર્મના દસવાતર (આ […]
Update: 14-Jan-2017 – Changed links of attachments to archive.org 25-Jan-2015 સમાજ વિરૂદ્ધ પાટીદાર સંદેશની પડદા પાછળની લડાઈ Download / Print / View full article, attachments [Best Option]: https://app.box.com/s/1m5pk0g9xltozoo1olyyglgw4wpyojak https://archive.org/details/realpatidar_oe61 ઘણા સમયથી આપણે પાટીદાર સંદેશના તંત્રી લેખો પર નજર કરતા આવ્યા છીએ. તંત્રી લેખોના સંદેશાઓ પર ધ્યાન આપીએ તો સમજાશે કે તેમાં મુખ્ય ચાર મુદ્દાઓ હોય… પોતાની જ માલિકી અને સંચાલન હેઠળના સામાયીકમાં, પોતાના મોઢે, પોતાના જ વખાણ હોય છે. ભાગેડુ લગ્ન અને સગપણ સમસ્યાને જેમ તેમ કરીને ખોટી રીતે વિકરાળ સ્વરૂપ આપવાનો નાકામ પ્રયાસ કરેલ હોય. હાલની કેન્દ્રિય સમાજની ગરિમાને નુકસાન કરતું, તેમજ સમાજ અને મહિલા સંઘના નેતાઓની ક્ષમતા પર આશંકા વ્યક્ત કરતું અને તેમની ગરિમા ઓછી કરતું યુક્તિ-પૂર્વકનું લેખન હોય. યુવાસંઘ માટે પહેલા વખાણ હોય અને પછી તેમને પોતે ખોટી રીતે ઊભી કરેલ કહેવાતી વિકરાળ સમસ્યાનો ઉકેલ લાવવાની ભલામણ રૂપી ભ્રામક વાત કરીને યુવાસંઘને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો હોય. અને જો છેલ્લે જગ્યા બચે તો નાની મોટી બીજી વાતો […]
Date: 24-Nov-2014 Jay Mataji / Jay Laxminarayan જય માતાજી / જય લક્ષ્મીનારાયણ હાલમાં એક જુનું એટલે કે લગભગ ૧૯૩૦ના દાયકાનું એક પેમ્પ્લેટ મારા ધ્યાનમાં આવ્યું છે. તે પેમ્પલેટ આર્ય સમાજી ભાઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલ છે, એવું દેખાઈ આવે છે. Recently I have come across a old pamphlet which is published in the 1930s. It seems that this pamphlet was released the people following Arya Samaj religion. એ પેમ્પલેટમાં જણાવ્યું છે કે સતપંથ એ એક મુસલમાની મત એટલે કે પંથ છે. અને તેમાં વડોદરા રાજ્યમાં ચાલેલ કોર્ટ કેસનો હવાલો (કેસ નંબર સાથે) પણ આપેલ છે, જેમાં કોર્ટે સતપંથને મુસલમાની મત છે તેવો ચુકાદો આપેલ હતો. The Pamphlet mentions that Satpanth is not a vedic religion, but a Muslim Sect. It refers to the court matter which was before the Vadodara State, in which court order says that Satpanth is a Muslim sect. એ કોર્ટ કેસમાં બહાર પડેલ મહત્વના મુદ્દાઓ […]