Date: 05-Oct-2016 ફૈઝપુરના સતપંથ મંદિરના ગાદી પતિ, શ્રી જનાર્ધન મહારાજના ગુરુ… શ્રી જગન્નાથ મહારાજ દ્વારા પ્રકાશિત… અને દાદા ગુરુ પુરષોત્તમ મહારાજ દ્વારા લેખિત… ઈમામશાહ બાવાના જીવનવૃત્તાંત પર લખેલ પુસ્તકમાં જણાવેલ છે કે… ઈમામશાહે તેમની ઓળખ આપતા કબૂલ કર્યું છે કે… પોતે મુલતાન ગામમાં (હાલ પાકિસ્તાન) માં, સૈય્યદ કુલમાં કબીરુદ્દીન બાબાના ત્યાં જન્મ લીધો. અને પોતે મુસલમાન હોવાનું પણ કબૂલ કર્યું છે. એ પુસ્તકના જરૂરી પાનાંઓની નકલને અહીં જોડેલ છે.
satpanth
તા. 20-Jul-2016 પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે. મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ પ્રમાણે નથી) છે, તેવું પ્રમાણિત કરતો પત્ર આપ્યો. (આ પત્ર મરાઠી ભાષામાં છે.) હાલની સતપંથ દ્વારા કરવામાં આવેલ હાલચાલ જેમાં સતપંથના પ્રચારક શ્રી જનાર્ધન મહારાજને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવેલ હકીકત, તેમજ સતપંથને કુંભમેળામાં આપવામાં આવેલ સ્થાનની હકીકતને ધ્યાનમાં રાખીને હાલના પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ વિષયને ફરીથી હાથમાં લીધો અને ફરીથી […]
તા. 17-Jul-2016 સનાતન ધર્મ પત્રિકાના તા. ૧૧-૦૬-૨૦૧૬ વાળા અંક ના પાના ક્ર ૮ અમે ૯ માં છપાયેલ ખુલાસોના જાણવા જેવા મુખ્ય મુદ્દાઓ ખાસ નોંધ: આ જાહેર ખુલાસો આપણી સનાતની હિંદુ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ત્રણ સંસ્થાઓ એટલે કે… શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી મંદિર, વાંઢાય શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, દેશલપર … એ આપેલ છે. જેણે આપણી યુવાઓ અને માત્રુ શક્તિઓએ પણ સમર્થન કરેલ છે. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલાસંઘ માટે આ ખુલાસો ખુબ મહત્વનો છે જેણે સર્વે ધ્યાનમાં લેવો જરૂરી છે. હિંદુ ધર્મના નામે ચાલતી, અર્ધદગ્ધ, કબ્રસ્તાની,પીરાણા સતપંથ દશાવતાર કથાનો, જાહેર ખુલાસો ઈમામશાહ ઉર્ફે ઇમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ દ્વારા સ્થાપિત એક મુસલમાની પીરાણા સતપંથ ધર્મ પાળનાર અનુયાયીઓ અને તેમની સતપંથ સમાજ દ્વારા યોજાયેલ, કહેવાતી, દશાવતાર કથાના ભ્રામક ઉપદેશોના કારણે લોકોમાં ફેલાયલી મુંજવણ, હિંદુઓની દુભાયેલ લાગણી, લોકોમાં ફેલાયેલ અશાંતિ અને કોમી ઝગડાઓની સંભાવનાને રોકવા […]
આજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે. માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક. પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે કે…. જો ઈમામશાહે હિંદુ ધર્મનો પ્રચાર કર્યોજ હોય, તો પહેલાં તો પોતે એ ધર્મ પાળે અને કમ સે કમ તેના પોતાના વંશજોને પણ એજ ધર્મ પળાવે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે ઈમામશાહના વંશજો તો હમેશા મુસલમાન ધર્મજ પાળતા આવ્યા છે. આનો અર્થ એમ થાય કે ઈમામશાહે મુસલમાન […]
તા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની સ્થાપના 👉 આજ રોજ તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ. 👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ. 👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ. 👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા SHRI ABKKP SANATAN EDUCOS ની રચના કરવામાં આવી 👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે. 👉 SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે. 👉 આગામી 7-8 Nov.-16 ના રોજ […]