તા. 20-Jul-2016 પીરાણા સતપંથ વિષે કોલ્હાપુર સ્થિત કરવીર પીઠના શંકરાચાર્યની ગાદીએ ઘણા વર્ષો સુધી બહુજ ઊંડાણ પૂર્વક કામ કરેલ છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચાર પીઠોમાંના એક શૃંગેરી પીઠની આ પીઠ એટલે કે કરવીર પીઠ એક અધિકૃત શાખા છે. મહારાષ્ટ્રમાં લેવા પાટીદાર જ્ઞાતિ પણ આ પીરાણા સતપંથમાં ફસાયેલ છે. તે અંગે વર્ષ ૧૯૩૧માં જળગાવની આસપાસ રહેતા લેવા પાટીદાર સમાજના અમુક આગેવાનોએ પરમ પૂજ્ય શંકરાચાર્યજીનો સંપર્ક કર્યો અને ત્યાર બાદ શંકરાચાર્યજીએ ગહન અભ્યાસ કર્યો તેમજ ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરી ને એવો નિષ્કર્ષ આપ્યો કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મનો ભાગ નથી, પીરાણા સતપંથ ધર્મ એ “વેદબાહ્ય” (એટલે કે વેદ પ્રમાણે નથી) છે, તેવું પ્રમાણિત કરતો પત્ર આપ્યો. (આ પત્ર મરાઠી ભાષામાં છે.) હાલની સતપંથ દ્વારા કરવામાં આવેલ હાલચાલ જેમાં સતપંથના પ્રચારક શ્રી જનાર્ધન મહારાજને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવેલ હકીકત, તેમજ સતપંથને કુંભમેળામાં આપવામાં આવેલ સ્થાનની હકીકતને ધ્યાનમાં રાખીને હાલના પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ વિષયને ફરીથી હાથમાં લીધો અને ફરીથી […]
mission
આજની એટલે, તા. ૦૭-૦૭-૨૦૧૬ની, ગુજરાત સમાચારની અમદાવાદ આવૃત્તિમાં ૧૪માં પાના ઉપર મુસલમાનો દ્વારા ઈદ માનવના ખબર છાપેલ છે. જુવો જોડેલ એ લેખનો ફોટો. તેમાં અમદાવાદની વિવિધ મસ્જીદોમાં નમાઝનો સમય જણાવેલ છે. મહત્વની વાત અહીં એ છે કે અમદાવાદની મસ્જીદોમાં પીરાણાની ઈમામશાહની મસ્જીદમાં પણ નમાઝનો સમય જણાવેલ છે, જે સવારના ૦૮:૫૫ નો છે. માટે જે સતપંથી મુસલમાન ભાઈઓ / મૂળ મુસલમાન ભાઈ / ઈમામ શાહના સાચા રૂપને જાણીને તેના અનુયાયી બન્યા છે, તેમને ઈદ મુબારક. પણ જે લોકો ઈમામ શાહને હિંદુ ધર્મના પ્રચારક તરીકે માને છે, તેને ખરે ખર આંખ ઉગાડવાની જરૂર છે. શું એ ભાઈઓ પોતાનેજ એક સવાલ ન કરી શકે કે…. જો ઈમામશાહે હિંદુ ધર્મનો પ્રચાર કર્યોજ હોય, તો પહેલાં તો પોતે એ ધર્મ પાળે અને કમ સે કમ તેના પોતાના વંશજોને પણ એજ ધર્મ પળાવે. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે ઈમામશાહના વંશજો તો હમેશા મુસલમાન ધર્મજ પાળતા આવ્યા છે. આનો અર્થ એમ થાય કે ઈમામશાહે મુસલમાન […]
તા.૨૬ મે ૨૦૧૬ 🚩🚩🚩🚩🚩🚩 તા. ૨૧.૦૫.૨૦૧૬ ના પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના સારસ્વતોની અનોખી સનાતની શ્રધ્ધાંજલી ✍🏻🖊🖊🖊🖊✍🏻 SHRI ABKKP SANATAN EDUCOS ની સ્થાપના 👉 આજ રોજ તા. ૨૧.૦૫.૨૦૧૬ના આપણા આધ્ય સમાજ સુધારક પ.પૂ. નારાયણ રામજી લીમ્બાણીને સમાજના બૌધિક સારસ્વત મિત્રોની એક મીટિંગ ટ્રિનિટી સ્કૂલ – તલોદ ખાતે યુવાસંઘની Education & Talent Hunt કમિટીદ્વારા આયોજીત કરવામાં આવેલ. 👉 ગુજરાતભરમાંથી વિસ્તાર વાઇઝ 40 જેટલા જવાબદાર સભ્યો હાજર રહેલ. 👉આ મિટીંગમાં યુવાસંઘ વતી ડો. વસંત ધોળુ (મહામંત્રી) કિરીટ પોકાર (એજ્યુકેશન લિડર) અને અશોક ભાવાણી, નિલેશ સુરાણી, નરેન્દ્ર રુશાત અને દિપેસ સુરાણી હાજર રહેલ. 👉સઘન ચર્ચા વિચારણાના અંતે ભારતભરના Education field સાથે સંકળાયેલ સમાજના સનાતન મિત્રો દ્વારા SHRI ABKKP SANATAN EDUCOS ની રચના કરવામાં આવી 👉 તેમા આપણી કેન્દ્રીય સમાજ ના નિયમોનુ પાલન કરનાર શિક્ષણવિદો જ સભ્ય બની શકશે. 👉 SHRI ABKKP SANATAN EDUCOS દ્વારા સમાજ અને યુવાસંઘ સાથે રહી વિધ્યાર્થી – વાલી ઉપયોગી શૈક્ષણિક પ્રવ્રુત્તિઓ કરવામાં આવશે. 👉 આગામી 7-8 Nov.-16 ના રોજ […]
To View and Download / જોવા અને ડાઉનલોડ કરવા માટે: https://archive.org/details/Series60 https://app.box.com/s/ggzjhkc07jrajgwe4r10kl9epac2fhwv 11-Apr-2015 જય ઉમિયા મા હાલમાં સતપંથ સમાજની જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ નજર કરીઓ તો જણાશે કે નિષ્કલંકી નારાયણની કથાઓ પર તેઓ જોર આપી રહ્યા છે. અને સાથે સાથે કહેવાતા માં ઉમિયાના મંદિરો પર તેઓ ધ્યાન આપી રહ્યા છે. આવી પરીસ્થીથીમાં સહેજ છે કે આ નિષ્કલંકી નારાયણ કોણ છે અને તેમની સાથે આ કહેવાતા ઉમિયામાં નું નામ કેવી રીતે જોડવામાં આવે છે? તેની જિજ્ઞાસા સર્વેને થાય અને થવી જોઈએ. અમોને પણ થઇ અને સત્ય જાણવા માટે કરેલ પ્રયાસોના કેવા આશ્ચર્ય અને ચિંતા જનક પરિણામ મળ્યા, તે જનતા સામે મુકવામાં આવે છે. અમોએ શરુઓ કરી હિંદુ ધર્મના શાસ્ત્રો થી. અને તેની સાથે અમો મળ્યા હિંદુ ધર્મના સાધુ સંતો ને. અંતે અમોને જાણવા મળ્યું કે હિંદુ ધર્મના શાસ્ત્રોમાં નિષ્કલંકી નારાયણ નામનો કોઈ અવતાર જ નથી. ત્યારે અમોએ સતપંથ ધર્મના શાસ્ત્રોમાં જોવાનું શરુ કર્યું. ત્યારે અમારા હાથમાં સતપંથ ધર્મના દસવાતર (આ […]
તા. ૧૪-૦૨-૨૦૧૫ ઈમામ શાહ દરગાહ અથવા પીરાણાની દરગાહને… ગુજરાત સરકાર મુસલમાન દરગાહ છે તેવું માને છે. હાલમાં ગુજરાત સરકારે ત્રણ મુસલમાન દરગાહઓને તેમના ધાર્મિક કાર્યો માટે નાણાકીય મદદ આપવાનું નક્કી કરેલ છે. તેમાં ઈમામ શાહની પીરાણા સ્થીત દરગાહ શામેલ છે. જેથી સમજાય છે કે ગુજરાત સરકાર પીરાણાને મુસલમાન ધર્મ સ્થાનક તરીકે ગણે છે…. તો જે લોકો, ઈમામ શાહ બાવાને ખોટી રીતે… મહારાજ / બ્રાહ્મણનો દીકરો / હિંદુનો દીકરો વગેરે… બનાવી રહ્યા છે તે ખોટા છે, એ સાબિત થાય છે. વધુ માહિતી માટે અહિં જોડેલ ટાઇમ્સ ઓફ ઇંડિયા છાપામાં આપેલ તા ૨૫.૧૨.૨૦૧૪ના આ લેખને જુઓ… Real Patidar https://archive.org/details/Series59