20-Jan-2011 || જય લક્ષ્મીનારાયણ || તાજેતરમાં સમાજનો જે વાચક વર્ગ છે એમને મહદ અંશે એવી ખાત્રી થઈ ગઈ છે, કે આપણી સમાજનું કહેવાતું મુખ પત્ર “પાટીદાર સંદેશ” એ ફક્ત જન્મ મરણના ફોટાંઓ અને જાહેર ખબરથી ભરેલું જોવા મળે છે. આ મેગેઝિનમાં એક બુદ્ધિ જીવ વર્ગ કે પછી જિજ્ઞાસુ વર્ગને લાભ થાય એવા કોઈ લેખો જોવા મળતા નથી. છેલા કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલુ છે. આ પત્રમાં આપણી સમાજમાં બનતા ઘણા એવા વિવાદાસ્પદ બનાવો કે ઘટનાઓ વિષયે સત્ય હકીકતો પ્રકાશિત કરવાની ઉણપ સ્પષ્ટ વાચક વર્ગને દેખાય છે. જુદા જુદા લોકો દ્વારા આ બાબત અંગે ઘણી વખત પાટીદાર સંદેશના મેનેજમેન્ટના સભ્યોનું ધ્યાન દોરાવવામાં આવેલ છે. છતાં તેઓએ પોતાની કાર્ય શૈલીમાં કોઈ પણ ફેરફાર કરેલ નથી. ઘણી વખત તેમના લખાણો, ખાસ કરીને તંત્રી લેખ વગેરે, બનેલ ઘટનાઓ પુરતો અભ્યાસ કર્યા વગર મનસ્વી રીતે લખી નાખવામાં આવેલ છે. દાખલા તરીકે, તાજેતરમાં જે સતપંથ અને સનાતનનો વિવાદ ચાલી રહ્યો છે, તે અંગે જીણવટ ભર્યું અવલોકન […]
Other Emails
NOTE: This SMS Group is out of service. 23-Dec-2010 || Jay Laxminarayan || || જય લક્ષ્મીનારાયણ || There have been many requests, to start the information campaign on SMS, as this would be beneficial to most number of people and especially to the people who do not have access to the computers and internet. Hence it has been decided to extend the campaign to another media, which is SMS. SMS પર માહિતી આપવા માટે ઘણી વિનંતીઓ અમોને મળતી રહેલી છે. જેથી ઘણા લોકો આ અભિયાન નો લાભ લઈ શકે. ખાસ કરીને જે લોકો પાસે કોમ્પુટર અને ઈન્ટરનેટ ના હોય એવા લોકોને ઘણો લાભ મળશે. આ માંગણીનું માન રાખીને અમોએ SMS અભિયાન શરુ કરવાનું નક્કી કર્યું છે. Accordingly, we are in process of sending invitation to you. Invitation will be sent to people over the few days. You need to accept the invitation sending a SMS as “JOIN REAL.PATIDAR” and […]
17-Nov-2010 || જય લક્ષ્મીનારાયણ || લક્ષ્મીનારાયણ સનાતન હિતચિંતકભાઈનો નીચે જણાવેલ ઈમૈલનો (જેણે એ ઈમૈલના વાંચ્યો હોય, તેમણે પહેલાં નીચેનો ઈમૈલ વાંચવાનો અનુરોધ છે) વધુ ખુલાસો કરતા જણાવાનું છે કે; નીચે જણાવ્યા ઈમૈલ પ્રમાણે, મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને (સતપંથ સમાજ ના પ્રમુખ) વાંઢાય ઉમિયા માતાજીના મંદિરમાં જોઈને આપણી સમાજના લોકો અને ખાસકરીને યુવાન ભાઈયોની લાગણીઓને દુભાઈ હતી. સનાતની ભાઈઓ એ જે આસ્થા નું સ્થાન સતપંથ ધર્મ થી અલગ થઈ ને કર્યું હતું, તે સ્થાને સતપંથ ધર્મ પર્મુખની હાજરી કેમ સહી લેવાય. અને તે પણ હાલમાં સમાજમાં સનાતનીઓને સતપંથથી બચાવી રાખવાની હવા ચાલતી હોય ત્યારે, તો કોઈ પણ સ્વાભિમાની માણસ આવું સહન નાજ કરે. સનાતનીઓની લાગણીઓ પર જાણે કુલડીથી જાનલેવા પ્રહાર થયો હોય. આવા સંજોગોમાં ત્યાં હાજર રહેલા ભાઈઓ અને યુવાનોએ માંગણી કરી કે મુમના ભાઈ રતનશી લાલજી વેલાણીને મંદિરમાં થી બહાર નીકળી જવાનું આદેશ આપવામાં આવે. મંદિરના યાવાસ્થાપકો અને હોદેદારો પાસેથી સંતોષ કારક પ્રતિસાદના મળવાના કારણે, લોકોનો આક્રોશ વધી ગયો. […]
10-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || પુરષોત્તમભાઈ અને અન્ય ભાઈઓ નિતેશભાઈને કોઈ પણ જવાબના આપવાની બહુ સારી અને સાચી વાત કરી છે તેમજ સાચા સમય પર કરી છે. (“શ્રી નારણ બાપાના સંતાનનું એદ્રેસ્સ આપવા વિનતી” આ Subject ધરવતા ઈમૈલઓ માં આ વાત લખી છે) અમો સમાજના કામે જ્યાં જ્યાં જતા અને મુમનાઓ સામે કડક પગલાં ભરવાની વાત કરતા તો આપણા (સનાતની) ભાઈઓ એમ કહેતા કે… કડક પગલાં લેવાની શું જરૂર હે? આપણે એને પ્રેમથી સમજાવશું તો સમજી જશે? એ લોકોને ખબર નથી કે સતપંથ એ હિંદુ ધર્મ નથી. આપણે કહેશું તો સમજી જશે. આપણે સાચા છીએ અને આપણી વાત સાચી છે તો એ લોકો કેમ નહિ સમજે? વગેર વગેરે… તમે સમજી શકો છો. ત્યારે અમે એમ કહેતા (અમારું કામ, મકસદ) કે સતપંથીઓ કોઈ અજાણ નથી, ૫૦-૬૦ વર્ષ પહેલાંની વાત જુદી છે, હવે અભ્યાસનો સ્થર વધી ગયો છે એટલે… એ લોકો બધુજ જાણે છે તોય તેમણે મુમના બની રહેવામાં ગર્વ અનુભવે છે. […]
09-Oct-2010 || જય લક્ષ્મીનારાયણ || થોડા દિવસ પહેલાં, પુણે સમાજે પોતાના સમાજનું બંધારણમાં ચોખવટ કરતો સુધાર કર્યો અને તે પ્રમાણે ચોખવટ કરી નાખી કે સતપંથ ધર્મમાં માનનારાઓ આ સમાજના સભ્ય નહિ બની શકે. ઘણી સમાજોના બંધારણમાં એવી ચોખવટ કરવામાં આવી છે કે ફક્ત સનાતન ધર્મ પાળનાર લોકોજ તેના મેમ્બર બની શકશે. પણ પુણે સમાજે જે એક કદમ આગળ વધીને વધુ ચોખવટ કરી નાખી કે પીરાણા સતપંથને માનનાર અને તેની વિધિઓ કરનાર લોકો, એ સમાજ ના સભ્ય બની શકશે નહીં. તે બંધારણના અમુક મુખ્ય પાના આ ઈમૈલ સાથે જોડેલાં છે. અને વધુમાં આહી પણ જોઈ/વાંચી શકો છો…. Update 2017-01-14: https://archive.org/details/OE023 આવું ચોખે ચોકો ખુલાસો કોઈ બંધારણમાં હોય તેવું બંધારણ મારા ધ્યાનમાં પહેલી વખત આવ્યું છે. પુણે સમાજ અને તેના હોદેદારો ને આવા ચોખવટ વાળા બંધારણ પાસ કરાવવા બદ્દલ તેમનો આભાર અને તેમણે અભિનંદન. Real Patidar www.realpatidar.com Download / Print / View full article, attachments [Best Option]: http://www.box.net/shared/h3qom2mrfc https://archive.org/details/OE023