Series 55 -Wakf Board -take over of -Imam Shah Bawa Trust E738 / ઈમામશાહ બાવા ટ્રસ્ટ ઈ-૭૩૮ ને વકફ બોર્ડમાં ટ્રાન્સફર

21-Oct-2013 ૧. વકફ બોર્ડ એટલે શું?: વકફ બોર્ડ એક એવી સરકારી સંસ્થા છે કે જેની સ્થાપના ભારતની કેન્દ્રીય સરકાર દ્વારા પસાર કરેલ “Wakf Act 1954 (later Wakf Act 1995 )” ના કાયદાની અંતર્ગત થયેલ છે. તે પ્રમાણે દરેક રાજ્ય સ્તરે “વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થાઓ છે. આ વ્યવસ્થા પ્રમાણે, જેમ અન્ય રાજ્યો પોતપોતાના વકફ બોર્ડ હોય છે, તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં… “ગુજરાત રાજ્ય વકફ બોર્ડ” નામની સરકારી સંસ્થા ઉભી કરવામાં આવેલ છે. ૨. વકફ બોર્ડનું કામ અને તેના અધિકારો: હવે આગળ વધીએ તો… આ વકફ બોર્ડનું કામ શું છે?… અને તેને કાયદાકીય રીતે કેવા અધિકારો છે? આ વિષયે થોડી વાત સમજી લઈએ. વકફ બોર્ડનું કામ છે કે જે મુસ્લિમ ધાર્મિક સંસ્થાઓ છે, જેવી કે મસ્જીદ, દરગાહ, કાબ્રસ્થાન, ઈમામવાડા, ઇદગાહ… વગેરે વગેરે, કે જે જાહેર જનતાના હિત માટે હોય (જેમ કે Public Trust વગેરે), તેવી સંસ્થાઓની વહીવટ કરવું અને તેની મિલકતોને પોતાના પાસે હસ્તગત કરવી. આ વકફ બોર્ડને ભારતના કાનુન પ્રમાણે […]

OE 57 -Navavas (Ravapar) -Satpanthis betrayed again / નવાવાસ (રવાપર) સતપંથીઓએ પાછો દગો દીધો

31-Jul-2013 ||  જય લક્ષ્મીનારાયણ || સતપંથના દલાલો તેમજ અમુક લોકો જેઓને ઈતિહાસ ખબર નથી કે જેઓ ઈતિહાસમાંથી પુરતી સીખ લીધી નથી તેવા લોકો વારે ઘડીએ કહેતા ફરતા હોય છે કે… ૧) આ ધર્મના જગડા ન ખપે. ૨) સમાજ અને ધર્મ અલગ છે. સમાજમાં ગમે તે ધર્મના લોકો આવી શકે. ૩) આપણે બધા ભેગા મળીને રહીએ છીએ તો શું વાંધો છે. ૪) સતપંથીઓને ભેગા રાખશું તો સુધારશે. … વગેરે વગેરે. હવે આવી વાત કરવા વાળાઓને ઘણી વખત કહેવામાં આવે છે કે ૫૦૦-૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં, જે લોકો સુધારવાના નથી તે લોકો હવે શું સુધારશે? હવે તો સતપંથીઓમાં ભણતર પણ આવી ગયું. એટલે હવે તેમને સમજવાની કોઈ જરૂર નથી. સમજશે ત્યારે એ લોકો આવી જશે. પણ અમુક લોકો આવું સમજવા તૈયાર નથી…. તો પછી જુવો પરિણામ શું આવી રહ્યું છે… માંડવી હોસ્ટેલ (સતપંથના માજી પ્રમુખ માંડવી હોસ્ટેલ મુદ્દા પર કેન્દ્રીય સમાજ વિરુદ્ધ સરકારી ઓફિસરોને મળતા ઘણી વખત જોવામાં આવેલ છે.) […]

Series 54 -Mulband (Fake) -Full Download / મુળબંદ (બનાવટી) -સંપૂર્ણ ડાઉનલોડ

17-May-2013 ||   Jay Laxminarayan   ||    ||   જય લક્ષ્મીનારાયણ   || ઘણા સમયથી આપણે મુળબંદની કોપી મેળવીને લોકો સુધી પોહ્ચાડવાની કોશિશ કરી રહ્યા હતા. સદભાગ્યે આજે આ કોશિશ પૂરી થઇ રહી છે. ઘણા લોકોની જેમ તમે પણ અનુભવ્યું હશે કે જયારે કોઈ પણ વ્યક્તિ આ પુસ્તકની કોપી માંગે તો તેની સામે હજારો સવાલો કરવામાં આવે તોય પણ અને મુળબંદ આપવામાં ન આવે. આજે પીરાણા સતપંથીઓ (મોટા ભાગના) દ્વારા, હાલમાં (વર્તમાન) સમયમાં અનુસરતા/અપનાવેલ મુળબંદની આવૃત્તિ (Edition) ને, કોઈ પણ વ્યક્તિ વાંચી શકે, ડાઉનલોડ કરી શકે અને પોતાની પાસે કોમ્પુટર દ્વારા પ્રિન્ટ કાઢી શકે, તેમજ તેનો અભ્યાસ કરી શકે, તે હેતુ થી, જાહેર જનતા સામે મુકવામાં અમે ખુબ સંતોષની લાગણી અનુભવી રહ્યા છીએ. Since long we have been trying to obtain a copy of Mulband and make it available to the public in general. Fortunately today our efforts have materialised. Like many others you might also have experience that when ever you ask for […]

OE 56 -Mameru – Daughters used as Shields / મામેરું – નિયાણી દુઃખી ન કરો -ઢાલ બનાવીને સનાતનીઓને ગુમરાહ કરવાના પ્રયત્નો

14-Apr-2014 ||  જય લક્ષ્મીનારાયણ  || હાલમાં સતપંથીઓ, સતપંથમાં પરણાવેલ દીકરીઓ, સતપંથ તરફી લોકો અને મવાળો – અલગ અલગ સમયે – અલગ અલગ જગ્યાએ – અલગ અલગ લોકોના મોઢે એકજ વાત સંભાળવા મળે છે. આ વાતથી સનાતની લોકોને અને ખાસ કરીને સનાતની બહેનોને ભાવુક કરીને નરમ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. નોંધ પાત્ર વાત – ખાસ કરીને બહેનોએ નોંધ કરવી જોઈએ એવી વાત એ છે કે – આપણી સતપંથી બહેન, દીકરી કે નણંદ પણ સતપંથીઓની આ ચાલમાં શામેલ થઇને ભાવુક રીતે આપણને પીગળાવવાના પૂરે પુરા પ્રયત્નો કરી રહ્યા છે. તમે વિચારજો કે ક્યારે એ બહેન, દીકરી કે નણંદે કોઈ દિવસ સતપંથ છોડવાનો પ્રયત્ન કર્યો? હવે મૂળ વાત પર આવીએ. વાત એમ છે કે આ નવું પૈન્તરું શું છે? આ નવું પૈન્તરું છે કે સપંથમાં પરણાવેલ દીકરીઓ/બહેનોને ઢાલ બનાવીને વાપરવામાં આવી રહી છે. આવી બહેનોના મોઢે એવું કહેડાવે છે કે… ૧) અમારો શું વાંક? ૨) અમને અમારા વડીલોએ સતપંથમાં વાજતે ગાજતે […]

OE 55 -Revolution in Mumbai -Formation of Sanatan Samaj / મુંબઈમાં ક્રાંતિ – સનાતની સમાજની સ્થાપના

04-Apr-2013 ||  જય લક્ષ્મીનારાયણ || મુંબઈમાં સમાન વિચારધારાવાળી સર્વે સનાતની સમાજને એક સુત્રે બાંધવાના ઉમદા હેતુથી “શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈ”ની સ્થાપના તા.૨૩-૦૧-૨૦૧૩ના થઇ ગયેલ હતી. આ સમાજની પહેલી કારોબારીની નિમણુંક અને પહેલી સામાન્ય સભા અને સ્નેહ મિલનનો કાર્યકમ ખુબજ દબદબો મચાવે તેવી રીતે ૩ દિવસ દરમ્યાન ઘાટકોપર, ડોંબીવલી અને થાણા મધ્યે મુખ્યતઃ માનવામાં આવ્યો. આ સમાજ કેવળ સનાતની લોકો દ્વારા સનાતનીઓના હિત માટેજ બનાવામાં આવેલ છે. આ સમાજ સતપંથ ધર્મને સનાતન ધર્મનો ભાગ ગણતી નથી. એટલા માટે સતપંથીઓ આ સમાજના સભ્ય બની શકશે નહિ. આ પ્રસંગનો અધિકૃત અહેવાલ જે સમાજે બહાર પાડેલ છે, તે અહીં નીચે જોડેલ છે. રીયલ પાટીદાર. ૦૨-૦૪-૨૦૧૩ ||  જય લક્ષ્મીનારાયણ  || મુંબઈમાં કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિમાં ધાર્મિક ક્રાંતિ, એક ઇતિહાસ સર્જાયો સંસ્કારધામથી મુંબઈ આવેલ ભગવાનશ્રી લક્ષ્મીનારાયણના રથની યાત્રા અને સામાજિક સભાનો અહેવાલ શ્રી કચ્છી કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – મુંબઈની સ્થાપના પ. પુ સંત શ્રી ઓધવરામ મહારાજશ્રી ની નિર્વાણ તિથિ […]