31-Jul-2013 || જય લક્ષ્મીનારાયણ || સતપંથના દલાલો તેમજ અમુક લોકો જેઓને ઈતિહાસ ખબર નથી કે જેઓ ઈતિહાસમાંથી પુરતી સીખ લીધી નથી તેવા લોકો વારે ઘડીએ કહેતા ફરતા હોય છે કે… ૧) આ ધર્મના જગડા ન ખપે. ૨) સમાજ અને ધર્મ અલગ છે. સમાજમાં ગમે તે ધર્મના લોકો આવી શકે. ૩) આપણે બધા ભેગા મળીને રહીએ છીએ તો શું વાંધો છે. ૪) સતપંથીઓને ભેગા રાખશું તો સુધારશે. … વગેરે વગેરે. હવે આવી વાત કરવા વાળાઓને ઘણી વખત કહેવામાં આવે છે કે ૫૦૦-૫૦૦ વર્ષ થઇ ગયા હોવા છતાં, જે લોકો સુધારવાના નથી તે લોકો હવે શું સુધારશે? હવે તો સતપંથીઓમાં ભણતર પણ આવી ગયું. એટલે હવે તેમને સમજવાની કોઈ જરૂર નથી. સમજશે ત્યારે એ લોકો આવી જશે. પણ અમુક લોકો આવું સમજવા તૈયાર નથી…. તો પછી જુવો પરિણામ શું આવી રહ્યું છે… માંડવી હોસ્ટેલ (સતપંથના માજી પ્રમુખ માંડવી હોસ્ટેલ મુદ્દા પર કેન્દ્રીય સમાજ વિરુદ્ધ સરકારી ઓફિસરોને મળતા ઘણી વખત જોવામાં આવેલ છે.) […]
betray
2 posts
15-Jan-2013 || જય લક્ષ્મીનારાયણ || ગત તા.૦૬-૦૧-૨૦૧૩ના માંડવી હોસ્ટેલ મધ્યે, સમાજનું સંપ, સંગઠન અને એકતાને તોડનાર એવું પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ જે સરસ્વતી સન્માન કાર્યક્રમ રાખેલ હતો, તે કાર્યક્રમ સામે ચેરીટી કામીસ્નરનો સ્ટે (રોક) આદેશ હતો. તેમ છતાં તે કાર્યક્રમ યોજીને પાટીદાર સર્વોદય ટ્રસ્ટએ સમાજની એકતા, સંપ અને સંગઠન તોડવાનું કામ કરેલ છે. આવા કામોનો વિરોધ માંડવી વિસ્તારના લોકોએ એજ કાર્યક્રમ દરમ્યાન કરેલ જે તમે નીચે આપેલ વીડિઓમાં જોઈ શકશો… Video 1: Video: https://realpatidar.com/yt-video/mandvihostel1 Real Patidar